Tuesday 28 January 2014

આ દેશમાં છે સૌંદર્યની ખાણ, મફતમાં લૂંટી લ્યો લૂંટાઇ એટલું

PIX: આ દેશમાં છે સૌંદર્યની ખાણ, મફતમાં લૂંટી લ્યો લૂંટાઇ એટલુંવેનેઝુએલા એક એવો દેશ છે જ્યાં માત્રને માત્ર સુંદરીઓ પાકે છે
લગભગ ૩ કરોડની વસતિ ધરાવનારા આ દક્ષિણ અમેરિકાના દેશને સત્તાવાર રીતે બોલીવેરીયન રિપબ્લિકન ઓફ વેનેઝુએલા કહે છે. કુદરત આ દેશ પર ચારેય હાથે મહેરબાન હોય તેવું લાગે છે. વેનેઝુએલાની ધરતીમાં તેલના અખૂટ ભંડાર ભર્યા છે. અને તેથી જ ક્રૂડતેલના બળ ઉપર તેના ક્રાંતિકારી નેતા હ્યુગો શાવેઝ જીવ્યા ત્યાં સુધી અમેરિકાની ઐસી તૈસી કરતા આવેલા. એ છતાં પણ અમેરિકા તો 'વાણિયાગત’ વાળો દેશ છે. હ્યુગોની મૈયતમાં ત્રણ ત્રણ અમેરિકન એલચીઓ ગયેલા. ભ્રષ્ટાચારે આ દેશને ૧૯૯૨માં ભરખી લીધેલો. બદતમીઝ પ્રમુખ કાર્લોસ પેરેઝે દેશના ધનની લૂંટ ચલાવી ત્યારે ક્રાંતિ કરીને જનતાના નેતા તરીકે હ્યુગો શાવેઝ જે માત્ર એક સાધારણ સૈનિક હતો તે સાચો દેશ નેતા બન્યો.

અમેરિકા સામે બાંયો ચઢાવવા આ દેશ કાયમ તૈયાર રહે છે. તાજેતરમાં જ અમેરિકાના સૌથી મોટા દુશ્મન ગણાતા વ્હિસલબ્લોઅર એડવર્ડ સ્નોડેન હાલમાં મોસ્કોના ટ્રાંસિટ વિસ્તારમાં છે અને અનેક દેશો પાસે આશ્રયની વિનંતી કરી હતી. ભારત સહિત અનેક દેશોમાં તેણે પોતાના કાયદાકીય સલાહકાર દ્વારા અરજી કરી હતી પણ લગભગ મોટાભાગના દેશોએ તેની વિનંતીને ફગાવી દીધી ત્યારે વેનેઝુએલા અને નિકારાગુઆએ તેને માનવતાના ધોરણે આશ્રય આપવાની ઓફર કરી હતી.

ચીન પાસે છે ભારતના હરક્યુલસ કરતાં પણ ખતરનાક વિમાનો

ચીન પાસે છે ભારતના હરક્યુલસ કરતાં પણ ખતરનાક વિમાનોભારતીય વાયુસેના જમ્મુ-કાશ્મીરના અક્સાઇ ચીન વિસ્તારમાં દૌલત બેગ ઓલ્ડીમાં હવાઇ પટ્ટી ઉપર ચાલુ વર્ષે ઓગસ્ટમાં પોતાના માલવાહક વિમાન સુપર હરક્યુલિસ ઉતારીને ચીનને જડબાતોડ જવાબ આપ્યો હતો. જોકે ભારત ચીન સામે એકાએક ઘુંટણીયે પડી ગયું હોવાનું અને અક્સાઈ ચીનનો વિસ્તાર સોંપી દેવા માટે અઘીરું બની ગયું હોય તેમ જણાઈ છે. અંગ્રેજી ટેબ્લોઇડના અહેવાલમાં જણાવાયુ છે કે ભારતીય વિદેશ મંત્રાલય અરૂણાચલ પ્રદેશને ભારતીય ભૂમિભાગ રૂપે ચીનની માન્યતા અપાવવા માટે એટલું અધીરૂં બન્યુ છે કે તેના બદલામાં અક્સાઈ ચીન પરથી ભારત પોતાનો દાવો છોડવા તૈયાર હોવાના સંકેતો આપ્યા છે. એટલે કે જો ચીન અરૂણચલ પ્રદેશ પરથી પોતાનો દાવો છોડી દે, તો ભારત અક્સાઈ ચીન પર પણ આવું કરવા તૈયાર છે, જો કે આ ફોર્મ્યૂલા હજુ વિદેશ મંત્રાલયા ટેબલ પર જ છે

ઓગસ્ટમાં ભારતીય વાયુ સેનાએ ડીબીઓમાં હવાઈપટ્ટી પર માલવાહક વિમાન સુપર હરક્યુલરનું સફળ લેન્ડિંગ કર્યું હતું. આ હવાઇ પટ્ટી વાસ્તવિક નિયંત્રણ સીમા રેખાથી નવ કિલોમીટર જ દૂર છે. વાયુસેનાની માહિતી મુજ્બ, હરક્યુલસ શ્રેણીના વિમાનનું આટલા ઉંચા વિસ્તારમાં લેન્ડીંગ એક વિશ્વ વિક્ર્મ છે. આ વિમાન માત્ર દુનિયાના 11 દેશો પાસે જ છે. આ વિમાનના લેંન્ડીંગને ભારત તરફથી ચીનને પોતાનું શક્તિ પ્રદર્શન બતાવવા માટે કરાયાનું માનવામાં આવે છે.

પણ હકીકત એ છે કે ચીનની વાયુસેના ભારતીય એરફોર્સ કરતાં અનેકગણું તાકાતવર છે. ચીનની વાયુસેના ( પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સ) પાસે સિમીત અને મોટા એર ડિફેંસ ફોર્સથી માંડી આધુનિક હથિયારોથી સજ્જ એડવાંસ ફોર્સ છે. ચીનની વાયુ સેના પાસે 600 બોમ્બનો વરસાદ કરતાં વિમાન, 1300 લડાકૂ વિમાન, ચાર AWACS શ્રેણીના વિમાન છે. એ સિવાય પણ ટ્રાન્સપોર્ટ માટે 80 વિમાન, 10 ટેન્કર, સ્પેશિયલ મિશન માટે 30 વિમાન છે.

ચાર લાખ સૈનિકોની તાકાત ધરાવતી ચીની વાયુ સેના પાસે હવામાં માર કરતી મિસાઇલ સિસ્ટમમાં બે લાખ 10 હજાર લોકો કામ કરે છે. આ સિસ્ટમમાં હવામાં માર કરતાં 500 લોન્ચર, 16 હજાર એંટી-એરક્રાફ્ટ ગન છે. તેના એરબોર્ન ફોર્સમાં 24 હજાર લોકો કામ કરે છે.   ચીન પાસે છે ભારતના હરક્યુલસ કરતાં પણ ખતરનાક વિમાનોચીન પાસે છે ભારતના હરક્યુલસ કરતાં પણ ખતરનાક વિમાનોચીન પાસે છે ભારતના હરક્યુલસ કરતાં પણ ખતરનાક વિમાનોચીન પાસે છે ભારતના હરક્યુલસ કરતાં પણ ખતરનાક વિમાનો

3G છોડો, 5Gની સ્પીડમાં એક સેકંડમાં જ ડાઉનલોડ થશે 800MBની ફિલ્મ

સ્માર્ટફોનની દુનિયામાં વિશ્વસાથે કનેક્ટ રહેવા માટે ઇન્ટરનેટની સ્પીડ સૌથી જરૂરી છે. ભારતમાં 2Gની સ્પીડ પર મોટાભાગના દેશમાં ઇન્ટરનેટ એક્સેસ કરી શકાય છે જ્યારે 3G સર્વિસ મોટા શહેરો સિવાય ક્યાંય અવેલેબલ નથી. જ્યારે 4Gના નામે ભારતમાં એન્ટ્રીતો મારી છે પણ જૂજ શહેરોમાં જ અવેલેબલ છે.
વૈશ્વિકલેવલે વાત કરીએ તો વિશ્વમાં ઘણી કંપનીઓ ઇન્ટરનેટ કનેક્શનમાં વધુ સ્પીડ ક્યારે મળે તેની શોધ કરી રહ્યા છે. તેવામાં સાઉથ કોરિયાએ 4G સ્પીડથી પણ આગળ એવી 5G ઇન્ટરનેટ સ્પીડ પર કામ શરૂ કરી દીધું છે. તે માટે કોરિયન સરકારે દોઢ અરબ ડોલર (93 અરબ ડોલર) ઇન્વેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. 5Gને કારણે મોબાઇલ કોમ્યુનિકેશનની સ્પીડમાં એક હજાર ગણો વધારે આવશે.
3G છોડો, 5Gની સ્પીડમાં એક સેકંડમાં જ ડાઉનલોડ થશે 800MBની ફિલ્મ
હાલમાં અવેલેબલ એવી 4Gની સ્પીડને કારણે 800 એમબીની મૂવી ડાઉનલોડ થવામાં 40 સેકન્ડનો સમય લાગે છે, પરંતુ 5Gની સ્પીડમાં મૂવીને ડાઉનલોડ થવામાં માત્ર એક જ સેકન્ડનો સમય લાગશે. સાઉથ કોરિયાની 82.7 ટકા વસ્તી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને 78.5 ટકા વસ્તી સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.
સાઉથ કોરિયા અનુસાર, 5Gની ટ્રાયલ 2017 સુધીમાં થઇ જશે અને 2020માં આખા દેશમાં 5Gની સ્પીડ મળશે. જાણકારોનું માનવું છે કે, 5G સ્પીડને કારણે સાઉથ કોરિયા અમેરિકા સહિતના ટોચના દેશોને ટક્કર આપશે. ખાસ વાત એ છે કે, સાઉથ કોરિયામાં હાલમાં અવેલેબેલ સ્ટ્રક્ચરમાં ટેક્નોલોજીનો સુધારો અત્યંત સરળતાથી અને સસ્તામાં થઇ જશે. સાઉથ કોરિયામાં ઇન્ટરનેટની એવરેજ સ્પીડ 17.5 એમબીપીએસ છે.

અમેરિકામાંથી 163 ભારતીય વૈદિક પંડિતો ગાયબઃ રિપોર્ટ

ઉત્તર ભારતના ગામડાઓમાંથી અમેરિકા લવાયેલા લગભગ 163 જેટલા વૈદિક પંડિત મહર્ષિઓ વૈદિક સિટીમાંથી ગત વર્ષે ગાયબ થઈ ગયા હતા, તેમ એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

શિકાગોના હાય ઈન્ડિયા સાપ્તાહિકના અહેવાલ મુજબ વૈદિક પંડિતોને ખૂબ જ ખરાબ સ્થિતિમાં રાખવામાં આવતા હતા. આ પંડિતોને કલાકના 75 સેન્ટ કરતાં પણ ઓછું વેતન અપાતું હતું.

આ પંડિતો સપના સાકાર કરવા અથવા કોઈક હેતુ સાથે અમેરિકા આવ્યા હતા. જો કે મહર્ષિ વૈદિક સિટીમાંથી આ અંગે કોઈ પ્રતિભાવ મળ્યા નથી. જ્યાં 1050 પંડિતો છે.

મહર્ષિ યોગી સંસ્થા દ્વારા અનેક શિક્ષણ સંસ્થાઓ ચલાવવામાં આવે છે. ગાયબ થયેલા પંડિતોમાં એક 19 વર્ષનો સૌથી નાની વયનો પંડિત પણ છે. અહેવાલ મુજબ સંસ્થા પંડિતોની ખરાબ સ્થિતિની વાકેફ ન હતી.

નામ જાહેર ન કરવાની શરતે એક પંડિતે કહ્યું હતું કે શરૂઆતમાં તેમને એક રૂમમાં રાખવામાં આવે છે અને તેમની સાથે કરાર પણ કરાય છે. ઉપરાંત અનેક ખોટા વચનો પણ અપાયા હતા.

અમેરિકામાંથી 163 ભારતીય વૈદિક પંડિતો ગાયબઃ રિપોર્ટ

ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરે

પ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરે
કહેવાય છે ને કે પ્રેમ આંધળૉ હોય છે. એક શોધતાં આવા હજાર કિસ્સાઓ સાંભળવા મળે છે અને ઘણા તો સાબિત પણ કરી દે છે કે ખરેખર પ્રેમ આંધળો જ હોય છે. આવી જ એક પ્રેમ કહાની પાનીપત વિસ્તારમાં ચર્ચાના કેન્દ્રમાં છે. દીકરીની ઉંમરના એક સાવ ગામડીયા ખેડૂતના પ્રેમમાં અમેરિકાની એક હાઇ-ફાઇ મહિલા દેશ અને પરિવારને છોડી ભારત આવી છે અને લગ્ન કરે બન્ને ખેડૂતનું જીવન જીવી રહ્યા છે. જેને સુખ સુવિધાઓ વિના જરાય ચાલતું નહોતું તે આજે કોઇ પણ જાતની સુવિધાઓ વગર ગાડું, ગોબર, ખેતર અને ઘરના રોજિંદા કામોમાં વ્યસ્ત રહે છે. તેને જોઇને કોઇ કહી ના શકે કે તે આધુનિક હશે. માની લો કે એક ચૂટકી સિંદૂરે તેની આખે જિંદગી બદલી નાખી છે. તેમની મુલાકાત ફેસબુક પર થઇ હતી.
પ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરે
Adriana Peralની ઉંમર 41 વરસની છે. ગયા ઓગસ્ટમાં તે દેહ્દ અને પરિવાર છોડીને પોતાના દીકરીની ઉંમરના એક યુવાનને પામવા અમેરિકાથી ભારતના એક ગ્રામ્ય વિસ્તારમાં આવી ગઇ હતી. ફેસબુક્માં પ્રેમમાં પડી તે પ્રેમીનું ઘર વસાવવા એક અલગ જ દેશ, અલગ જ સંસ્કૃતિમાં આવી પહોંચી હતી.  ભારત આવ્યા બાદ તરત જ તેણે 25 વરસના મુકેશ કુમાર સાથે ઘર માંડ્યું હતું. હરિયાણાના એક ગામમાં તે આજે એક સંપૂર્ણ ભારતીય પત્ની બની તમામ જવાબદારીઓ નિભાવી રહી છે.
એક હતું કેલિફોર્નિયા જ્યાં તે રોજ મજા માણતી હતી પાર્ટીઓની અને એ પણ ટૂંકા વસ્ત્રોમાં અને આજે તે સલવાર-કમીઝમાં ચૂલો સળગાવે છે, પતિ સાથે ગાડામાં બેસી ખેતરે જાય છે, સાસુ સાથે લસ્સી બનાવે છે, ગાયો-ભેંસોના છાણ ભેગાં કરે છે અને એ પણ હસતાં-હસતાં. તેને અગાઉના  લગ્નથી એક દીકરી છે અને તે અમેરિકામાં રહે છે. તેની ઉંમર તેના પતિ જેટલી જ હશે. તે કહે છે કે, હું મુકેશ સાથે નવી જિંદગીથી બહુ જ ખુશ છું. હું દુનિયાની કોઇ પણ વસ્તુને આની સામે ઉભી પણ ના રાખું. તે કબૂલ કરે છે કે અમેરિકામાં તેને અનેક સંબંધો હતા પણ સાચો પ્રેમ નહોતો મળ્યો.પ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરે
ફેસબુક પર મુલાકત થયા બાદ એક સાંજે મુકેશે ફોન કરીને તેની સમક્ષ પ્રેમનો એકરાર કરી લીધો હતો. ફેસબુક અને ફોન પરની મુલાકાતો દરમિયાન જ તેણે નિર્ણય લઇ લીધો હતો કે તે હવે ભારત જશે. જ્યારે તેણે પોતાનો નિર્ણય ઘરવાળાઓને સંભળાવ્યો ત્યારે બધા બહુ જ નવાઇ પામ્યા હતા. તેણે 25 વરસની દીકરીને પણ છોડવા વિચારી લીધું હતું. બધાને એ ચિંતા હતી કે ભારતમાં મહિલાઓ બહુ સલામત નથી.
પ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરે
તે કહે છે કે, ઘણાને એમ લાગતું હતું કે મુકેશ કોઇ ખોટો વ્યક્તિ છે અને છેતરપિંડી કરે છે. તે જ્યારે મને લેવા દિલ્હીના એરપોર્ટ પર લેવા આવ્યો ત્યારે જાણે મને એમ લાગ્યું હતું કે મેં દુનિયા જીતી લીધી છે. પણ કલ્ચર વાળી સમસ્યા સામે મોં ફાડીને જ ઉભી હતી. તે થોડીવારમાં જ એક ખેતરમાં બનેલા ઘરમાં ઉભી હતી. ઘરની અંદર ટોઇલેટ નહીં, બાથરૂમમાં બકેટ નહીં અને ચારેબાજુ ફરતી ભેંસો અને ગાયો. તેની માટે આખું વાતાવરણ જ સાવ અલગ હતું.પ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરે
તે કહે છે કે, અહીં તો બધાએ બધા કપડાં પહેરી રાખવા પડતા હતા. ઘરની બહાર સ્ટ્વ પર રાંધવાનું હોય, બળદગાડામાં ફરવાનું હતું. પહેલીવાર મનેલાગ્યું હતું કે હું કેવી રીતે રહીશ પણ ખુશ રહેવા માટે સિખ સુવિધાઓ હોવી બહુ જરૂરી નથી હોતી. પણ સૌથી મોટી સમસ્યા હતે મુકેશનો પરિવાર અને સ્થાનિક સમાજ અપનાવી લે તે. તેણે ઉંચી એડીને વિદાય આપી. સાડી પહેરવાની શરૂ કરી, માથે ઓઢવાની શરૂઆત કરી. લોકો પણ તેને આંખો ફાડી-ફાડીને જોતા હતા. પ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરેપ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરેસમય સાથે બન્ને એ જાણે એકબીજાને સ્વીકારી લીધા. ખુશી સાથે તે કહે છે કે, મારે એક તો ભારતીય કપડાં પહેરવાના હતા અને થોડી ઘણી હિન્દી પણ શીખવાની હતી. નાઇટ પાર્ટીઓ ભુલી જવાની હતી. ગત વરસે નવેમ્બરમાં મુકેશ અને એડ્રિઆનાએ હિન્દુ વિધિથી લગ્ન કર્યા. જ્યાં જાતિ બહર લગ્ન પણ હોબાળો મચાવી દે ત્યાં આ પ્રસંગ દેશના મિડીયામાં પણ ચમક્યો.પ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરેમુકેશ ભાંગીતુટી અંગ્રેજી બોલે છે. તે કહે છે કે, તે બહુ જ સારી પત્ની છે. તે ઘરના બધા જ કામ કરે છે. ઘણીવાર મારી માતા ડીશ ધોતી હોય તો તે છીનવી લે છે અને કહે છે કે આ તો મારે કરવાનું છે. મને ખુબ આનંદ છે કે તેની સાથે લગ્ન કર્યા.  મુકેશના મમ્મી અને એડ્રિયાનાના સાસુ બિમલા દેવી 70 વરસના છે. તેમણે આશિર્વાદ તો આપ્યા છે જ, સાથે-સાથે વહુને બધું જ ઘરકામ પણ શીખવાડે છે. બિમલા દેવી કહે છે કે, સારૂં થયું કે વિદેશી વહુ આવી. મને બહુ જ માન આપે છે. જો કોઇ ગામની જ છોકરી હોત તો કદાચ આટલા બધા માન આપતી કે નહીં એ સવાલ છે. હવે બધાની એક જ ઇચ્છા છે કે ઘોડિયું બંધાય.પ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરેપ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરેપ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરે
પ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરેપ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરેપ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરેપ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરેપ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરેપ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરેપ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરેપ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરેપ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરેપ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરે

ચાર સમસ્યાઓ: જે ભારતીય સેનાને ધકેલી રહી છે પાછળ

ભારત પાસે નથી ખુદની રાયફલ પણ
સ્વદેશી વિમાનનો દાવો પાયાવિહોણો 
 
દેશના 65મા પ્રજાસત્તાક દિવસ પર દેશની રાજધાની નવીદિલ્હીમાં રાજપથ પર દેશે તેની તાકત, સમૃદ્ધિ અને સાંસ્કૃત્તિક વૈવિધ્યનું પ્રદર્શન કર્યું. આ દ્રશ્ય જોઈને કોઈપણ હિન્દુસ્તાનીની છાતી ગર્વથી પહોળી થઈ જાય. આમ છતાં, આપણે આપણી ખામીઓને પણ ન ભૂલવી જોઈએ. કોઈપણ દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને તેની સેના અક્ષત રાખે છે. તે દેશની તાકતનું પ્રતિક હોય છે. 
 
ભારતની સેનાએ અનેક વખત તેની બહાદુરીનો પરિચય લોકોને આપ્યો છે. ચીનને બાદ કરતા તમામ યુદ્ધ અને છૂટા-છવાયા છમકલામાં ભારતે વિજય હાંસલ કર્યો છે. ભારત મંગળયાન બનાવી શકે છે અને સુપર કોમ્પ્યુટર પણ બનાવ્યા છે. છતાં આજે પણ સૈન્ય બાબતોમાં આપણે સ્વનિર્ભર નથી. એટલે સુધી કે આપણી પાસે ખુદની આધુનિક રાયફલ નથી. બુલેટપ્રૂફ જેકેટ્સ બનાવીએ છીએ, પરંતુ તે વૈશ્વિક કક્ષાના નથી. પ્રથમ સ્વદેશી વિમાન તરીકે તેજસને ઓળખાવવામાં આવે છે, પરંતુ તે પણ સ્વનિર્મિત નથી. 
સૈન્ય સામાન-સરંજામ ક્ષેત્રે સંશોધનનું કામ કરતી ડીઆરડ઼ીઓએ 'અગ્નિ-5' મિસાઈલ બનાવી દીધી છે, પરંતુ આજે પણ આપણે આધુનિક રાયફલ નથી બનાવી શક્યા. આપણે એકે-47 અને ઈન્સાસ રાયફલ પર નિર્ભર છીએ. સંરક્ષણ નિષ્ણાત ભરત વર્માના કહેવા પ્રમાણે, આપણે મંગળ પર પહોંચવાનું યાન તો બનાવી લીધું, પરંતુ આધુનિક રાયફલ નથી બનાવી શક્યા. 
નથી શહીદ સ્મારક 
 
દુનિયાના દેશો તેના સૈનિકોની શહીદીને નમન કરવા માટે તથા યુદ્ધ ઈતિહાસને મૂર્ત સ્વરૂપ આપવા માટે યુદ્ધ સ્મારક તથા સૈનિક સ્મારક બનાવે છે. ભારતમાં ઈન્ડિયા ગેટ તથા અમર જવાન જ્યોતિને સૈનિક સ્મારક તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે વાસ્તવમાં બ્રિટન તરફથી લડતી વખતે માર્યા ગયેલા ભારતીય-બ્રિટિશ સૈનિકોના સન્માન માટે ઊભા કરવામાં આવેલા સ્મારકો છે. આપણી પાસે આપણું પોતાનું રાષ્ટ્રીય સ્તરનું કોઈ સ્મારક નથી. જે કમનસિબ બાબત છે.
ચાર સમસ્યાઓ: જે ભારતીય સેનાને ધકેલી રહી છે પાછળ
ચાર સમસ્યાઓ: જે ભારતીય સેનાને ધકેલી રહી છે પાછળ
વિજ્ઞાનક્ષેત્રની અનેક બાબતોમાં આપણે સફળતાની અનેક કહાણીઓ લખી છે, પરંતુ સંરક્ષણ ક્ષેત્રે આપણે સફળ નથી. લાઈટ ફાયટર પ્લેન 'તેજસ' માટે એવું કહેવામાં આવે છે કે, તેનું નિર્માણ ભારતે કર્યું છે. તે સ્વદેશી છે. વાસ્તવમાં તેજસના એન્જિનથી માંડીને બીજા મહત્વપૂર્ણ પાર્ટ્સને વિદેશથી આયાત કરવામાં આવ્યા છે. હજૂ સુધી એવા એકપણ વિમાનનું નિર્માણ ભારતે નથી કર્યું, જેના નટબોલ્ટથી માંડીને એન્જિન સુધીની તમામ બાબતો ભારતીય હોય. 
 
ખખડધજ છે ભારતીય હથિયારો 
 
પૂર્વ સેનાધ્યક્ષ માર્ચ 2012માં વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં વી.કે. સિંહે જૂના અને ખખડધજ હથિયારો અંગે ચિંતા પ્રગટ કરી હતી. વી.કે. સિંહે નોંધ્યું હતું કે, જો ભારત યુદ્ધમાં સામેલ થાય તેવા સંજોગો આવે તો પંદર દિવસથી વધારેનો ગોળાબારુદ આપણી પાસે નથી. એર ડિફેન્સનો 97 ટકા સામાન પુરાણો છે. ટેન્ક્સ પણ દુશ્મનોનો સામનો કરી શકે તેવા નથી રહ્યા. સંરક્ષણ નિષ્ણાત યુ.એસ. રૌઠોડ આ વાતને સ્વીકારે છે. તેમના કહેવા પ્રમાણે, મોટાભાગના હથિયારો પુરાણા છે અથવા તો જેટલા અસરકારક હોવા જોઈએ, તેટલા અસરકારક નથી.
ચાર સમસ્યાઓ: જે ભારતીય સેનાને ધકેલી રહી છે પાછળ

Friday 24 January 2014

ભારતનું અદ્દભૂત હિલ સ્ટેશન, જાણો અહીંની ખાસિયતો...

PICS: ભારતનું અદ્દભૂત હિલ સ્ટેશન, જાણો અહીંની ખાસિયતો...સ્વિત્ઝરલેન્ડ કે નોર્વેના કોઈ શહેરને ટક્કર મારે તેવું આકર્ષક છે આ શહેર 
 
મનાલી. હિમાલયની ગોદમાં વસેલું એવું શહેર જેનો નજારો સ્વિત્ઝરલેન્ડ કે નોર્વેના કોઈ શહેરથી કમ આકર્ષક નથી. અહીં બારેય મહિના પર્યટકો આવતા રહે છે. દેશભરમાં રજાઓ ગાળવા માટે હિમાચલપ્રદેશનું મનાલી શહેર પ્રથમ પસંદગી બની રહે છે. દર વર્ષે લાખો લકો અહીં આવે છે. 
 
અહીં કુદરતે એવી અનેક ચીજો આપેલી છે, જે આ વિસ્તારને ખાસ બનાવે છે અને રજાઓને યાદગાર બનાવી દે છે. આ શહેરનો ઈતિહાસ પુરાણો અને સમૃદ્દ છે. PICS: ભારતનું અદ્દભૂત હિલ સ્ટેશન, જાણો અહીંની ખાસિયતો...
રોહતંગ પાસ. તેને ભૃગુ-તુંગના નામથી અગાઉ ઓળખવામાં આવતું. અહીંથી હિમાલ પર્વતમાળાના દુર્લભ દ્રશ્યો જોવા મળે છે. અહીં વાદળો કરતા પણ પર્વત ઊંચા દેખાય છે. રોહતંગ પાસમાં ટ્રેકિંગ અને સ્કિંગની આકર્ષક સગવડો મળેલી છે. દર વરસે હજારોની સંખ્યામાં પર્યટકો આ આકર્ષક નજારા અને એડવેન્ચર સ્પોર્ટ્સને માણવા આવે છે. 

ફ્લાવર મેળામાં ખીલી સુરતી કળીયોઃ સુગંધી ફૂલોની માણી રંગત

ફ્લાવર મેળામાં ખીલી સુરતી કળીયોઃ સુગંધી ફૂલોની માણી રંગત
સુરત મહાનગરપાલિકા દ્વારા ગુરુવારથી શરૂ થયેલા બૂક ફેરમાં હર્બલ ફેર અને હેન્ડિક્રાફટ ફેરનું આયોજન પણ કરાયું છે. પહેલા દિવસે લગભગ વીસ હજાર સુરતીઓએ આ બુક ફેરની વિઝીટ લીધી હતી. બાગાયત મેળામાં ઘણી વેરાઈટીના ફલાવર્સ અને પ્લાન્ટ્સ એકિઝબિટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં તદ્દન અલગ કોન્સેપ્ટ લઈને તૈયાર કરાયેલી ગ્રીન વોલ પણ ડિસપ્લે કરવામાં આવી છે. આ ગ્રીન વોલ ઘરને કુલિંગ આપે છે. આ ઉપરાંત આ ફેરમાં આયુર્વેદિક પ્લાન્ટ્સ, સિઝનલ ફલાવર્સ અને તેની સાથે જ ઘણાં નવા પ્લાન્ટ્સ પણ ડિસપ્લે કરવામાં આવ્યા છે. જેની મોટી સંખ્યામાં સુરતી કોલેજના યંગસ્ટર્સ મુલાકાત લઈને માહિતી મેળવી હતી.

ઇશ્વરની કલર કોમ્બિનેશનની અદ્ભૂત સેન્સનું ઉદાહરણ ફૂલો છે. લાલ, લીલા, પીળા, ગુલાબી, ભૂરા, કેસરી આ બધા જ રંગોનું કોમ્બિનેશન એણે ખૂબ અદ્ભૂત રીતે કર્યું છે. આપણે ફૂલોને ફ્લાવરવાઝમાં મૂકી એનાથી ડ્રોઇંગરૂમના કોઇ ખૂણાને ડેકોરેટ કરીએ છીએ. ગમતી વ્યક્તિના હાથમાં ફૂલોનો બુકે મૂકી એના પ્રત્યેની આપણી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. ખુશ હોઇએ છીએ ત્યારે ફુલોથી ઘરને જીવંત કરી દઇએ છીએફ્લાવર મેળામાં ખીલી સુરતી કળીયોઃ સુગંધી ફૂલોની માણી રંગત
ટેરેસને ગાર્ડનમાં કન્વર્ટ કરી ત્યાં સુગંધનું સરનામું રોપીએ છીએ.  હમણાં શિયાળો ચાલી રહ્યો છે અને હવે વસંત પંચમી પણ આવશે. લાલ-લીલા-પીળા-ભૂરા બધા જ રંગોના ફૂલોથી જાણે ઇશ્વર આ પૃથ્વીના કેનવાસ પર મજાનું ડ્રોઇંગ દોરી જશે. સુરત મ્યુનિસપિલ કોપોઁરેશન દ્વારા શરૂ થઇ રહેલા બુક ફેરમાં બાગાયત મેળો પણ યોજાયો છે. આ બાગાયત મેળામાં ફ્લાવર અરેંજમેન્ટ કરાતું હતું ત્યારે કેટલાક સુરતીઓ એકઝીબશિન શરૂ થયા પહેલા જ ફૂલોની સુગંધને પોતાના ઘરે લઇ આવવા પહોંચી ગયા હતા.

આ ભજ્જી જ છે, જે સ્કુટર ઉપર બિસ્કીટ, નમકીન વેચી રહ્યો છે

EXCLUSIVE: આ ભજ્જી જ છે, જે સ્કુટર ઉપર બિસ્કીટ, નમકીન વેચી રહ્યો છેચંદીગઢ. ભારતનો સ્ટાર ક્રિકેટર હરભજનસિંહ હાલ ભારતની ટીમમાંથી બહાર છે. તેથી તે હવે ટેલિવઝનના ક્ષેત્રમાં પગ માંડવા જઈ રહ્યો છે. તેની પર્સનાલિટી સાથે જોડાયેલો ખાસ વાતોનો શો ‘મિશન સપને’ માં જોવા મળશે. જે એપ્રિલમાં શરૂ થવાનો છે. કલર્સ ચેનલ ઉપર શરૂ થઈ રહેલા આ શો ની શૂટિંગ ચંદીગઢમાં શરૂ થઈ હતી. સેક્ટર -17 પ્લાઝામાં હરભજનસિંહ એક નવા રૂપ રંગમાં જોવા મળ્યો હતો. તે બિસ્કીટવાળો બનીને બિસ્કીટ અને નમકીન વેચી રહ્યો છે.
 
ચેનલના આ શો માટે હરભજનસિંહ એક દિવસ માટે સામાન્ય માણસ બન્યો હતો. તે શહેરમાં બિસ્કીટ વાળા રામ અવતારની ભૂમિકા નિભાવી રહ્યો છે. પોતાની પર્સનાલિટી છોડીને તે કોઈ પબ્લિસીટી સ્ટંટ કરી રહ્યો નથી. હરભજન રામ અવતાર બનીને કેન્સર પીડિત તેની પત્ની મંજૂ માટે પૈસા ભેગા કરી રહ્યો છે.
 
હરભજને આ વિશે જણાવ્યું હતું કે, ઘણી મુશ્કેલીથી પોતાના સપનાઓ પુરા કર્યા હતા. હવે બીજાના સપનાઓ પુરા કરવાની તક છે. એ માટે હુ આવો વેશ ધારણ કરીને બિસ્કીટ અને નમકીન વેચી રહ્યો છું. મારા પૈસા અને પર્સનાલિટી છોડી કોઈ જરૂરિયાતવાળા લોકોની મુશ્કેલીનો ભાગ બન્યો હતો. આ શો  ‘મિશન સપને’ એપ્રિલમાં શરૂ થશે. આ શોમાંસલમાન ખાન, વરુણ ધવન, મીકા સિંહ જેવા બોલિવુડ, ટીવી એક્ટર અને સ્પોર્ટ્સથી લઈને મ્યૂઝિક સાથે જોડાયેલા લોકો ભાગ લેશેEXCLUSIVE: આ ભજ્જી જ છે, જે સ્કુટર ઉપર બિસ્કીટ, નમકીન વેચી રહ્યો છેEXCLUSIVE: આ ભજ્જી જ છે, જે સ્કુટર ઉપર બિસ્કીટ, નમકીન વેચી રહ્યો છે

Wednesday 22 January 2014

વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન

વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનકડકડતી ઠંડી, ધોમ ધખતો તાપ કે પછી ધોધમાર વરસાદમાં હોય છતાં શરીર પર કોઈ વસ્ત્રો પહેર્યા વિના દિગંબર અવસ્થામાં ધૂણો ધખાવી બેઠેલા અઘોરી અને નાગા સાધુઓની પાસે પણ જતાં સામાન્ય લોકોને ડર લાગી જાય. પરંતુ વડોદરાના એક ધનવાન પરિવારની હાઇ એજ્યુકેટેડ યુવતીએ આવા અઘોરી અને નાગા બાવાઓ કેવી રીતે સાધના કરે છે, કેવી રીતે જીવન ગુજારે છે તેના પર રૂબરૂ જઇને સંશોધન કર્યું છે.

સામાન્ય રીતે સમાજમાં એવી વાતો પ્રચલિત હોય છે કે અઘોરીઓ માંસ, મદિરા અને મૈથુનમાં રચ્યા પચ્યા રહેતા હોય છે પરંતુ વડોદરાના ઇલોરાપાર્ક વિસ્તારમાં રહેતી 28 વર્ષની યુવતી પલના પટેલે જૂનાગઢની ગુફાઓ, કુંભના મેળા, કાશી, બનારસમાં દિવસો સુધી રોકાણ કરીને નોંધ્યું કે ખરેખરમાં આ બાવાઓ હઠ યોગ દ્વારા પોતાના શરીરને કષ્ટ આપીને સિદ્ધિ હાંસલ કરવાના અનુષ્ઠાનમાં વ્યસ્ત હોય છે.

અઘોરી અને નાગા બાવાઓ પર સંશોધન વિશે વાત કરતાં 28 વર્ષની એડવોકેટ પલના પટેલે જણાવ્યું હતું કે, અધોરીઓ પર સંશોધન કરનાર સાંભળીને મોટાભાગે બધાના મનમાં વિચાર આવે કે હું કોઈ ધાર્મિક અનુષ્ઠાન કરતાં પરિવાર સાથે સંબંધ ધરાવતી હોઇશ પરંતુ એવું નથી. અમારા ઘરમાં સામાન્ય લોકોની જેમ જ મંદિરમાં પૂજા અર્ચના થાય છે અને મોકો મળે ત્યારે સહેલીઓ-મિત્રો સાથે પાર્ટીઓ પણ જાઉ છું અને ડાન્સ કરી મજા માણુ છું. સમય મળે ત્યારે હું નડિયાદ સ્થિત સંતરામ મંદિરે દર્શન કરવા જાઉ છું. એક વખત મંદિરે દર્શન કરવા દરમિયાન મારા ગુરુ નારાયણદાસજી મહારાજ સાથે જીવ, શિવ અને સત્સંગની વાતો કરતાં કરતાં અધોરીઓના જીવન વિશે જાણવાનું બીડુ ઝડપી લીધું.

વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનઅઘોરીઓ વિશે જાણવા જૂનાગઢ, હરિદ્વાર, કુંભના મેળાની મુલાકાત લીધી

પલના પટેલે જણાવ્યું કે, અઘોરી અને નાગા સાધુઓ વિશે જાણવા માટે મેં જૂનાગઢમાં દર વર્ષે આયોજીત થતાં શિવરાત્રીના મેળા, હરિદ્વારા અને અલહાબાદમાં યોજાયેલા કુંભના મેળામાં અધોરીઓ પાસે જઇને કોઈપણ ડર રાખ્યા વિના તેમના જપ, તપ, તંત્ર, મંત્ર, સાધનાઓ વિશે જાણ્યુ છે. 

એક અઘોરીના જણાવ્યા અનુસાર અઘોર સાધના એ કોઈ મેલી વિદ્યા નથી પરંતુ ભક્તિઓ જ એક પ્રકાર છે. જેમ સામાન્ય વ્યક્તિ મંદિરમાં ભગવાનને ફૂલ, પ્રસાદી ચડાવી ભગવાનના નામની માળા જપે છે તેમ અઘોર પંથમાં અઘોરી પોતાના શરીરને કષ્ટ આપીને ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે અને આ સાધના ગુરૂ દ્વારા આપવામાં આવેલા મંત્ર અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે.

50 વર્ષ જીવેલા તેલંગસ્વામી કાશિશ્વનાથ મહાદેવ પર પોતાના મળમૂત્રથી કરતા અભિષેક  

પલનાએ બનારસ ખાતે એક અઘોરી સાથે થયેલી મુલાકાત અંગે જણાવ્યું હતું કે, હું અઘોરી વિશે જાણવા માટે બનારસ ગઇ હતી. ત્યાં ગંગાના કિનારે એક અઘોરી સાથે મુલાકાત થઇ. સામાન્ય રીતે અઘોરીઓ લોકો સાથે વાતચીત કરવાનું ટાળતા હોય છે પરંતુ તેમના જીવન અંગે જાણવાની જીજ્ઞાસા જોઈ તે અઘોરીએ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ પર એક અઘોરી પોતાના મળમૂત્રથી અભિષેક કરતાં તેવી માહિતી આપી હતી. અઘોરીના જણાવ્યા અનુસાર આ અધોરીનું નામ તેલંગ સ્વામી હતું અને તેઓ લગભગ 370 વર્ષ સુધી જીવ્યા હતાં અને તેમનું વજન 130 કિલો હતું. તેઓ 1008 મણકાની માળાથી જપ કરતાં. તેલંગ સ્વામી વિશે જાણવા મળે છે કે તેઓ મૂળ ઉત્તર પ્રદેશના કનોજ વિસ્તારના બ્રાહ્મણ હતાં, તેઓ જ્યારે 12 વર્ષનાં હતાં ત્યારે તેમની માતાનું મોત થતાં માતાના અંતિમ સંસ્કાર કરી તેઓ સ્મશાનમાં જ બેસી ગયા અને 25 વર્ષ સુધી સ્મશાનમાં રહીને સાધના કરી.

આ દરમિયાન દક્ષિણ ભારતના તેલંગણા વિસ્તારમાંથી આવેલા એક સાધુ આ સ્મશાનમાંથી પસાર થયા અને તેમની નજર આ સાધના કરતાં યુવક પર પડી, તેમણે તેને શિષ્ય બનાવી લીધો અને ગુરૂમંત્ર આપ્યો, ત્યારથી તેઓ તેલંગ સ્વામી તરીકે ઓળખાયા. ગુરૂમંત્ર બાદ તેલંગ સ્વામીએ 25 વર્ષ પોતાની ચારે તરફ અગ્નિ પ્રગટાવી સાધના કરી, 50 વર્ષ ગંગા નદીના પાણીમાં બેસીને સાધના કરી અને ત્યાર બાદ 100 વર્ષ સુધી તો તેઓએ મૌન રહી સાધના કરી. જ્યારે પણ તેલંગસ્વામી કાશિ વિશ્વનાથ મંદિરના દર્શને આવતા ત્યારે પોતાના મળમૂત્રથી અભિષેક કરતાં અને આજે પણ બનારસમાં આ તેલંગ સ્વામીના ઘણા કિસ્સાઓ પ્રચલિત છે.

વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનનાગા સાધુ બનવા તંગતોડ વિધિ ફરજીયાત

બીએ બાદ એલએલબીનો અભ્યાસ કરતી એડવોકેટ બનેલી પલનાએ તેલંગસ્વામી વિશે વધુમાં ઉમેર્યું હતું કે, તે અઘોરીએ જણાવ્યું કે અઘોર સાધનામાં ખંદ-મંદ-યોગ કરવામાં આવે છે. આ યોગ વિશે રામાયણમાં જાણવા મળે છે જેમાં રાવણ આ સાધના કરતો. રાવણ શિવજીને પ્રસન્ન કરવા માટે પોતાનું માથુ કાપીને અગ્નિમાં હોમી દેતો જેને ખંદ-મંદ-યોગ કહેવાય છે. તલંગ સ્વામી વિશે કહેવાય છે કે તેઓ એક ખંદ યોગ કરતાં જેમાં તેઓ હાથ કે પગના અંગ કાપી નાખતા અને 12 કલાક પછી ફરી જોડી દેતા. અઘોરીએ જણાવ્યુ હતું કે આવી રીતે નવખંદ યોગ પણ હોય છે જેમાં શરીરના બધા અંગ કાપી હોમી દેવામાં આવતા હોય છે પરંતુ આવો યોગ કરવો કળિયુગના માનવી માટે શક્ય નથી.  પલના પટેલના જણાવ્યા અનુસાર અઘોરી સાધના સમયે મુખ્ય પાંચ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખે છે: સ્થાન, સમય, સંખ્યા, સામગ્રી, સંયમ (બ્રહ્મચર્ય)

અલ્હાબાદ ખાતે યોજાયેલા કુંભમેળાની મુલાકાતનો અનુભવ વર્ણવતા પલનાએ જણાવ્યું કે, કુંભના મેળામાં ઘણા લોકો નાગા સાધુ બનતા હોય છે, નાગા બાવા બનવું કોઈ આસાન કામ નથી.  નાગા બાવા બનતા પહેલા કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે અને તેમાં તંગ તોડ વિધી સૌથી રસપ્રદ છે.  નાગા બાવા બનવા માટે આ વિધિ કરાવવી ફરજીયાત છે. આ વિધિમાં સાધુ બનવા સિવાય કોઈ અન્ય વ્યક્તિઓને હાજર રહેવા દેવામાં આવતી નથી પરંતુ અખાડા એક મહંતના કહેવાથી મને આ વિધિ રૂબરૂમાં જોવા મળી. નાગા સાધુ બનવા માંગતા પુરૂષોને આ માટે ગુરૂના આદેશથી આખી રાત નગ્ન સ્થિતિમાં ગળા સુધી ગંગા નદીના પાણીમાં ઉભા રાખવામાં આવે છે, વહેલી સવારે અખાડાના મહંત ગંગા નદીમાં ઉતરે છે અને આ સાધુ બનવા માંગતા લોકોની તંગ તોડ વિધિ કરી છે, જેમાં મહંત પાણીમાં ઉભેલા શિષ્યની આંખમાં આંખ મિલાવી શક્તિપાત કરે છે અને ત્યાર બાદ તેના ગુપ્તાંગને પોતાના હાથથી ઝાટકો મારી ગુપ્તાંગની એક નસ તોડી નાખે છે. આ વિધિ કરવાનો ઉદ્દેશ્ય વ્યક્તિમાં રહેલા તેજ (વીર્ય)ને ઉર્ધ્વગતિ આપી તેના તેજથી સિદ્ધિઓ હાંસલ કરવાનો છે. તંગ તોડ વિધિ બાદ ગુરૂ શિષ્યને મંત્ર આપે છે અને વિહાર કરવા માટે આદેશ આપે છે. અખાડાના મહંત પોતાના શિષ્યોને પુત્ર સમાન જ માને છે.

વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનવડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનઅઘોરીઓ શિવલતા મુદ્રામાં કરે છે સંભોગ

અઘોરીઓ વિશે પલના પટેલે કહ્યું હતું કે, અઘોરી પંથના એક મહંતના જણાવ્યા અનુસાર માણસમાં તમસ, રજ અને સતોગુણ હોય છે. અઘોર સાધનામા આવનાર વ્યક્તિ જો તમોગુણી હોય તો તેને પ્રારંભમાં પંચકરાની સાધના કરાવાય છે જેમાં માંસ, માછલી, મુદ્રા (સેકેલુ અનાજ), મદિરા અને મૈથુન (સ્ત્રી સાથે સંભોગ) કરાવાય છે. તામસિક પ્રકૃતિના વ્યક્તિની માનસિક શક્તિ મંદ હોય છે જ્યારે અઘોર સાધના કરતાં વ્યક્તિનું મગજ એટલી હદ સુધી સક્રિય હોવું જરૂરી છે કે તે ભગવાને બનાવેલા વિશ્વના રહસ્યોને જાણી શકે. પંચકરાથી માનસિક સ્થિતિને ઉત્તેજીત કરવામાં આવે છે. જોકે, આ વિધિ સામાન્ય અઘોરી કરી શકતો નથી તેના માટે ગુરૂનું માર્ગદર્શન અને ખાસ મંત્રોનો ઉચ્ચાર કરવામાં આવે છે. આ વિધિ દરમિયાન ઘઉ, માંસ, મદિરા સહિતની સામગ્રી અગ્નિમાં હોમવામાં આવે છે તથા શિવલતા મુદ્રામાં સંભોગ કરવામાં આવે છે અને અઘોરી શિવ તથા સ્ત્રી પાર્વતીની આરાધના કરે છે.
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનકાળીચૌદસના દિવસે અઘોરીઓ આત્માને વશમાં કરે છે

કાળીચૌદસે થતી અઘોર સાધના વિશે પલના પટેલે જણાવ્યું કે, અઘોર સાધના માટે કાળી ચૌદશ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ રાત્રે અઘોરીઓ ભટકતી આત્માઓને પોતાના વશમાં કરી મનગમતા કામ પાર પાડે છે. અઘોરી આ સાધનામાં પાંચ માનવ ખોપરીઓનો ઉપયોગ કરે છે. ચાર ખોપરીઓ ચાર દિશામાં જ્યારે એક ખોપરી વચ્ચે મુકે છે. ચાર ખોપરીઓની વચ્ચે પડતી જગ્યાઓમાં પણ પ્રાણીઓની એક-એક ખોપરી મૂકવામાં આવે છે. કેવી સિદ્ધી હાંસલ કરવી છે તેના આધારે પ્રાણીનું મુંડ પસંદ કરવામાં આવે છે. જોકે, આ સાધના અઘોરી તેની ગુરૂની આજ્ઞા અને માર્ગદશન બાદ જ કરી શકે છે નહીં તો તેના વિપરિત પરિણામ આવે છે.
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનઆત્માઓ અઘોરીઓ પર કરે છે પથ્થરમારો

સ્મશાનમાં થતી શબ સાધના વિશે પલના પટેલે જણાવ્યું કે, સંશોધનમાં જાણવા મળ્યુ કે સ્મશાનમાં થતી શબ સાધનામાં અઘોરી માટે સૌથી વધુ જોખમ રહેલા છે. આવી સાધનાઓ માટે ખાસ કરીને કુંવારી યુવતી-બાળકીના મૃતદેહની પસંદગી કરાય છે. અઘોરીઓ ઘણી વખત આ મૃતદેહ પર બેસીને પણ મંત્રોચ્ચાર કરી સાધના કરે છે. આ સાધના દરમિયાન પેદા થતી નેગેટિવ એનર્જીને કન્ટ્રોલ કરવી સૌથી મુશ્કેલ બાબત છે, ઘણી વખત તો શબ ઉભુ થઇ જવાના બનાવો પણ બને અને આ સ્થિતિ સૌથી ભયાજનક હોય છે, કાચા હ્રદયનો માણસ હોય તો આવી સ્થિતિ જોઈને તેનું મોત થઇ શકે છે. તાંત્રિકો શબ સાધના સમયે મદિરાનું સેવન કરે છે જેથી નેગેટિવ એનર્જીને કાબુ રાખી શકાય. અઘોરીઓ સ્મશાનને 'શહેરે ખામોસ' કહે છે. અઘોરીના મત અનુસાર અહીં આત્માઓ રહેશે છે પરંતુ સ્મશાનવત શાંતિ હોવાથી તેને શહેરે ખામોસ કહેવાય. ઘણી વખત શબ સાધના સમયે સ્મશાનમાં તાંત્રિકો પર પ્રેતાત્માઓ દ્વારા પથ્થર ફેંકવાની ઘટનાઓ પણ બને છે, પથ્થરો ફેંકવા પાછળનો આત્માનો ઉદ્દેશ અઘોરીને ત્યાંથી દૂર ખસેડી મૂકવાનો હોય છે.

કુંભ મેળાની મુલાકાતને યાદ કરતાં પલનાએ જણાવ્યું હતું કે કુંભના મેળામાં હઠ યોગ કરતાં ઘણા સાધુઓ જોયા, જેમાં એક નાગા સાધુએ 30 વર્ષથી પોતાનો હાથ ઉંચો રાખ્યો છે, તો ત્રણેક સાધુઓએ 10 વર્ષથી વધુ સમયથી પોતાનો એક હાથ ઉંચો રાખ્યો છે. એક એવો પણ નાગા સાધુ હતો જેને ખડેશ્વરબાબા તરીકે ઓળખવામાં આવતો. આ નાગા સાધુ વર્ષોથી માત્ર એક જ પગ પર ઉભો છે અને પરમતત્વને પામવા આવો યોગ કરી રહ્યો છે.
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનનાગા બાવાએ નજર સામે કર્યો ચમત્કાર

બનારસ મુલાકાત દરમિયાન એક નાગા બાવા સાથે થયેલી પોતાની મુલાકાત વર્ણવતા પલના પટેલે જણાવ્યું કે "નાગા બાવાઓ વિશે જાણવા માટે હું બનારસ ગઇ હતી, ત્યા એક સાધુએ બને કહ્યું બેઠ બેટા દેખ મેં તુંજે કુછ દિખા હું. આમ કહી તેણે તેની બાજુમાં પડેલો એક નાનો છોડ (નાનો રોપો) હાથમાં લીધો અને આકાશમાં સૂર્ય સાથે નજર મિલાવી છોડને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી દીધો, જ્યારે તેણે મુઠ્ઠી ખોલી તો જાણે જાદુ કે ચમત્કાર થયો હતો, હાથમાં છોડની બદલી મરઘીનું નાનું બચ્ચુ હતું અને આ બચ્ચુ આ બાવાએ રસ્તે જતાં એક અજાણ્યા વ્યક્તિને લે બચ્ચા પ્રસાદ હે! કહી ને આપી દીધું. આ ઘટના મારા માટે ચમત્કારથી કમ ન
હતી."વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનહઠયોગીઓ આરોગે છે મૃતદેહની ખોપડીનું માંસ

હાઇ એજ્યુકેટેડ યુવતી પલનાએ જણાવ્યું કે, વારાણસીનો મણિકર્ણિકા ઘાટ પ્રસિદ્ધ છે અહીં મોટી સંખ્યામાં લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. એવી માન્યતા છે કે અહીં જેના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. જેના કારણે અહીં અંતિમ સંસ્કાર માટે લાઇનો લાગેલી હોય છે અને મૃતદેહને મુખાગ્નિ આપ્યાની ગણતરીની મિનિટોમાં જ મૃતદેહને પાણીમાં ઘકેલી દેવામાં આવે છે. કેટલાક હઠયોગીએ એવા પણ છે જે પરમતત્વ (શિવ)ને પામવા અને પ્રસન્ન કરવા માટે આ મૃતદેહોની ખોપડીઓમાં રહેલું માંસ આરોગે છે, તો કેટલાક અઘોરી અને નાગા બાવા મૃતદેહોની ખોપરીઓ લઇ જઈ જીવનભર તેને જ પોતાનું જમવાનું પાત્ર (વાસણ) બનાવી તેમાં ભોજન કરે છે.
 
 

વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
અઘોરી નથી લાગતા બિહામણા, ક્યારેય નથી કર્યું અભદ્ર વર્તન

પલના પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે અધોરી અને નાગા બાવા બિહામણા હોય અને લોકો પર જાદુટોણા કરી નાંખે છે. પરંતુ હું આવા તાંત્રિકો અને નાગા સાધુઓ સાથે પાંચ વર્ષથી વધુ સમયથી સમય મળે ત્યારે મુલાકાત કરુ છું પરંતુ મને તેઓ ક્યારેય ડરામણા નથી લાગ્યા કે તેમણે મારી સાથે ક્યારેય અભદ્ર વર્તન કે વાત નથી કરી.  આ નાગા સાધુઓ અને અઘોરીઓ પોતાની સાધના અને ઇશ્વરને પ્રાપ્ત કરવામાં સતત હઠયોગ કરતા રહે છે.

તાજેતરમાં યોજાયેલા કુંભ મેળાની મુલાકાત વિશે પલનાએ જણાવ્યું કે, કુંભના મેળામાં સૌથી વધુ નાગા બાવાઓ જોવા તથા તેમના વિશે જાણવા મળે છે, તાજેતરમાં યોજાયેલા કુંભ મેળાની પણ એક અઠવાડિયા ત્યાં રોકાણ કરીને મુલાકાત લીધી હતી. આ દરમિયાન નાગા બાવાઓના અખાડાઓ દ્વારા કરવામાં આવતા સામૂહિક સ્નાનનો નજારો ક્યારેય ભૂલી ન શકાય તેવો હતો. કુંભના મેળામાં ભારતીયો સહિત ઘણા બધા વિદેશીઓ પણ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ તથા નાગા સાધુઓ વિશે જાણવા ઘણી મોટી સંખ્યામાં અહીં આવે છે.

વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન  
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન